કયા ફળને પાકવામાં બે વર્ષ લાગે છે? IAS ઇન્ટરવ્યુના અજબ સવાલના ગજબ જવાબ જરૂર જાણો. મિત્રો, આઈએએસ અથવા આઈપીએસ બનવા માટે ફક્ત યુપીએસસી પરીક્ષા પાસ કરવી જરૂરી નથી. પ્રી, મેઇન્સ પરીક્ષા પાસ કર્યા પછી સૌથી મોટી લડાઈ ઉમેદવારે ઇન્ટરવ્યૂમાં લડવાની હોય છે. ઇન્ટરવ્યૂના ટ્રિકી સવાલોમાં ઘણા ઉમેદવાર ફેલ થઈ જાય છે. અહીં પુસ્તકિયા નહિ પણ મગજની શક્તિ તપાસનારા સવાલ પૂછવામાં આવે છે, જેના જવાબ કોમનસેંસ લગાવીને આપવાના હોય છે.
ઘણી વાર ઉમેદવારની મનોસ્થિતિ અને સમજદારી પારખવા માટે અધિકારીઓ ટ્રિકી સવાલ પૂછે છે. આ સવાલ કોઈ પણ ઉમેદવારનું મગજ ચકરાવી દે છે. પણ તેના જવાબ ઘણા સરળ નીકળે છે. તેના માટે ફક્ત મગજ કસવાની જરૂર હોય છે. અમે તમારા માટે ઇન્ટરવ્યૂના એવા જ ખતરનાક સવાલ લઈને આવ્યા છીએ, જેના જવાબ આપતા સમયે કદાચ તમે પણ વિચારમાં પડી જશો.
સવાલ : એક છોકરીને જોઈ વ્યક્તિએ કહ્યું તેની માતાના પિતા મારા સસરા છે, તો બંને વચ્ચે શું સંબંધ થયો?
જવાબ : બાપ-દીકરી.
સવાલ : એક ફોટાને જોઈ રોહિતે કહ્યું – તે મારા ભાઈના પિતાની એકમાત્ર દીકરીનો દીકરો છે. રોહિતનો ફોટાવાળા વ્યક્તિ સાથે કયો સંબંધ છે?
જવાબ : મામા-ભાણેજ.
સવાલ : કાળું મૃત્યુ કોને કહેવામાં આવે છે?
જવાબ : પ્લેગ નામની બીમારીને. યુરોપના ઇતિહાસનો એક અધ્યાય છે, જેમાં 7.5 થી 20 કરોડ લોકોના મૃત્યુ થયા હતા. તેની શરૂઆત 1346 થી 1353 માં થઈ હતી. લગભગ 10 વર્ષની અંદર કરોડો લોકો આ કાળી બીમારીને કારણે મૃત્યુ પામ્યા હતા.
સવાલ : એક સ્વસ્થ મનુષ્યના શરીરમાં કેટલું લોહી હોય છે?
જવાબ : એક સ્વસ્થ મનુષ્યના શરીરમાં લગભગ વજનના 7% જેટલું લોહી હોય છે. આ રીતે એક સ્વસ્થ માણસ જેનું વજન 70-80 કિલો હોય તો તેના શરીરમાં લગભગ 5 થી 5.5 લીટર લોહી હોય છે.
સવાલ : માછલી ખાધા પછી દૂધ કેમ નહિ પીવું જોઈએ?
જવાબ : માછલી ખાધા પછી રોજ દૂધ પીવાથી Leukoderma થઈ શકે છે, આ તે બીમારી છે જેનાથી શરીરમાં સફેદ દાખ, ફોલ્લીઓ પડી જાય છે. એટલે માછલી ખાધા પછી દૂધ, દહીંનું સેવન કરવાની ના પાડવામાં આવે છે.
સવાલ : ક્યા દિવસમાં ફક્ત 40 મિનિટની રાત હોય છે?
જવાબ : નોર્વેમાં ફક્ત 40 મિનિટની રાત હોય છે. એટલા માટે તેને country of midnight sun કહેવામાં આવે છે.
સવાલ : તે શું છે જે આવ્યા પછી સતત વધ્યા કરે છે?
જવાબ : લાલચ. એક વાર કોઈને લાલચ આવી જાય તો તે વધ્યા જ કરે છે.
સવાલ : મોર ઈંડા નથી આપતા તો તેના બચ્ચા કેવી રીતે જન્મે છે?
જવાબ : માદા મોર ઈંડા આપે છે, નર મોર નહિ.
સવાલ : કયા દેશના લોકો કુતરાનું દૂધ પણ પીવે છે?
જવાબ : ઇન્ટરનેટ પર રહેલી જાણકારી અનુસાર મોનો દેશના લોકો કુતરાનું દૂધ પીવે છે. મોનો દેશમાં મૂળ અમેરિકાના લોકો છે. જોકે, કુતરાનું દૂધ પીવું ખોટું માનવામાં આવે છે.
સવાલ : ચા પીધા પછી પાણી કેમ નહિ પીવું જોઈએ?
જવાબ : ચા પીધા પછી પાણી પીવાથી પાચન ખરાબ થઈ જાય છે. બીજું દાંતમાં પાયરિયા રોગની પણ શક્યતા થઈ જાય છે. ગરમ ચા ઉપર ઠંડુ પાણી પીવું નુકશાનકારક છે, તેનાથી પેટ ખરાબ થઈ શકે છે.
સવાલ : ઇન્ટરવ્યૂમાં ઉમેદવાર માટે એક કપ કોફી લાવવાનો આદેશ આપવામાં આવ્યો. કોફી આવી અને તેને ઉમેદવારની સામે મુકવામાં આવી. પછી ઉમેદવારને પૂછવામાં આવ્યું, what is before you?
જવાબ : ઉમેદવારે કહ્યું T comes before U. વર્ણમાળામાં ‘ટી’ એ ‘યુ’ પહેલા આવે છે.
સવાલ : સમોસાને અંગ્રેજીમાં શું કહે છે?
જવાબ : Curry Puff Rissole.
સવાલ : એક વ્યક્તિને જોઈ સુમિતે અનિલને કહ્યું – તે મારા દાદાના પૌત્રના પિતાના પિતાનો જમાઈ છે. જણાવો તે વ્યક્તિ સુમિતના કોણ થાય?
જવાબ : ફુવા.
સવાલ : એવી કઈ વસ્તુ છે જે પાણી પિતા જ મરી જાય છે?
જવાબ : તરસ.
સવાલ : પોતાના હાથેથી બનાવેલી કઈ વસ્તુ માણસ હવામાં ઉડાવી દે છે?
જવાબ : પતંગ.
સવાલ : તે શું છે જેને લોકો કોર્ટ કચેરી કે પોલીસ સ્ટેશન દરેક જગ્યાએ ખાવાનું કહેવામાં આવે છે?
જવાબ : કસમ.
સવાલ : કયા ફૂલને પાકવામાં 2 વર્ષ લાગે છે?
જવાબ : રેફલીસિયા ફૂલ, તે મલેશિયા અને ઇન્ડોનેશિયામાં મળી આવતું એક આશ્ચર્યજનક પરજીવી છોડ છે, જેનું ફૂલ વનસ્પતિ જગતના દરેક છોડના ફૂલોથી મોટું, લગભગ 14 મીટર વ્યાસનું હોય છે અને તેનું વજન 10 કિલોગ્રામ હોઈ શકે છે.
આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.
Source: gujaratilekh.com